મોરબીમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ચકલીઘર અને દૂધ-બિસ્કીટ વિતરણને જબ્બર પ્રતિસાદ

- text


મોરબી : રામનવમીના પાવન પર્વે શ્રી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ ઉપર રાધા પાર્કનાં ખૂણે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાવડી રોડ ઉપર આ પ્રકારે ચકલીઘર વિતરણનું ખૂબ ઓછું આયોજન થતું હોવાથી જીવદયાપ્રેમીઓને ચકલીઘર માટે દુર જવું પડતું હતું પણ આ વખતે વાવડી રોડ ઉપર વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી જાણે પોતાના ઘર આંગણે જ વિતરણ હોય તેવી અનુભૂતિ જીવદયાપ્રેમીઓને થઈ હતી અને પરિણામ સ્વરૂપે ચકલીઘરનું વિતરણ ખુબ જ સરસ થયું હતું.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં તથા ડિલિવરી વોર્ડમાં અને ત્યારબાદ જનરલ વોર્ડમાં પણ દૂધ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દૂધ અને બિસ્કીટ વિતરણમાં હુસેનભાઈએ સહકાર આપ્યો હતો. આ ઉપરાંત ચકલીઘર આપવા બદલ લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરાનો પણ ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

- text

- text