મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે દર બુધવારે સગર્ભાઓ માટે ફ્રી યોગા અને ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે

- text


મોરબી : મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી અને ડો. હર્ષાબેન મોર દ્વારા દર બુધવારે સદભાવના હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાઓ માટે ફ્રી યોગા ફોર પ્રેગનન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમિનાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી દર બુધવારે મોરબીના સદભાવના હોસ્પિટલના ત્રીજા માળે સવારે 6 થી 8 વાગ્યા સુધી ફ્રી યોગા ફોર પ્રેગનન્ટ વુમન અને ગર્ભ સંસ્કાર સેમિનારની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દર બુધવારે ડો. હર્ષાબેન મોર સેવા આપી રહ્યા છે, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કેવી રીતે મદદ કરે તે માટે અલગ અલગ યોગ અને પ્રાણાયામ શીખવવામાં આવશે. જેથી આ યોગા અને સેમિનારનો લાભ લેવા સગર્ભાઓને અનુરોધ કરાયો છે. આ સેમિનારનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. હાર્દિક જેસ્વાણીને મો. નં 9228800108 પર વોટ્સએપ મેસેજ કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text