મોરબીના પાટીદાર ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાનું ઉજ્જૈનમાં સન્માન

- text


મોરબી: મોરબીના ઉદ્યોગપતિ અને દાતા એવા પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરાનું ઉજ્જૈનમાં સમાજ ઉપયોગી કામગીરી બદલ મા ઉમિયા પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉમિયા પાટીદાર સમાજ ઉજ્જૈનના આગેવાનોએ ગોવિંદભાઈ વરમોરાને સન્માન પત્ર આપીને તેઓની સેવાને બિરદાવી હતી.

- text

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્યો માટે અગ્રેસર હોય છે. ત્યારે તેમના આ કામની નોંધ મા ઉમિયા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) દ્વારા લેવામાં આવી છે અને તેઓને અભિનંદન પત્ર આપીને તેમની આ સેવાને બીરદાવી છે.

- text