- text
કાંતિલાલ બાવરવાની મુખ્યમંત્રીને લેખિત રજુઆત
મોરબી : મચ્છુ – ૨ સિંચાઈ યોજનાનું પાણીથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે મચ્છુ – ૨ ડેમ ના પાંચ દરવાજાની નવા બનાવવાના હોય મચ્છુ -૨ ડેમ નું પાણી ખાલી કરવામાં આવનાર છે. મચ્છુ – ૨ ડેમનું પાણી નદીમાં વહાવીને દરિયામાં જાય તેના કરતા મોરબી માળિયા વિસ્તારના ગામોના તળાવો ભરી આપવામાં આવે.
- text
આ કામ માટે સરકારને કોઈ પણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળીનો ઉપયોગ કરવાનો. તો આ કામ કરવામાં આવે તેવી માંગણી છે જો આવું કરવામાં આવશે તો તળાવની આજુબાજુના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરોને પણ પીવાનું પાણી મળી રહેશે.
- text