ટંકારાના હીરાપર ગામે 1લી એપ્રિલે રામામંડળ રમાશે

- text


ટંકારા : આગામી તારીખ 1 એપ્રિલના રોજ તાલુકાના હીરાપર ગામે રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હીરાપર ગામે પ્રાણજીવનભાઈ બચુભાઈ ફેફર દ્વારા 1લી એપ્રિલને શનિવારે રાત્રે 9 કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામમંડળ-પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવાશે. તો આ રામામંડળ નિહાળવા સૌ જાહેર જનતાને પ્રાણજીવનભાઈ બચુભાઈ ફેફર તથા રમેશભાઈ બચુભાઈ ફેફર તરફથી આમંત્રણ પાઠવાયું છે.

- text

- text