- text
ટંકારા : ગઈકાલે શહિદ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારા તાલુકાના જબલપુર ગામની પ્રાથમિક શાળા અને એજ્યુકેશન મેનેજમેન્ટ કમિટી દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
23 માર્ચના રોજ શહિદ દિવસે દેશને આઝાદ કરાવવા માટે શહિદી વ્હોરનાર ક્રાંતિવીરો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપવા માટે ટંકારા તાલુકાના જબલપુર ગામની પ્રાથમિક શાળા અને એજ્યુકેશન મેનેજમેન્ટ કમિટી દ્વારા મશાલ યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ફેફર દેવેન્દ્ર, ભાલોડીયા કેતન અને ચાવડા જશવંત દ્વારા શહિદવીરોએ કરેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
- text
- text