19 માર્ચે સંસ્કાર બ્લડ બેંક ખાતે ઘૂંટણ, સાંધા, કરોડરજ્જુ અંગે નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 19 માર્ચના રોજ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલ- અમદાવાદ દ્વારા સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટના સહયોગથી ઘૂંટણ, સાંધા, કરોડરજ્જુની સમસ્યાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

19 માર્ચ ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિરની પાછળની સંસ્કાર બ્લડ બેંક ખાતે ઘૂંટણ, સાંધા અને કરોડરજ્જુના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ડો. નીતિન બુદ્ધદેવ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. રવિન્દ્ર પટેલ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડો. સુહિત શાહ (સ્પાઈન સર્જન) ઉપસ્થિત રહીને દર્દીઓની તપાસ કરશે. તપાસ માટે આવતી વખતે જુના રિપોર્ટ સાથે લઈ આવવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 9512008155 અથવા 7069001001 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text