મોરબીના સાપર ગામે ત્રિદેવ મંદિરે ઉજવાયો 15મો પાટોત્સવ

- text


મોરબી : મોરબી તાલુકાના ના સાપરના ત્રિદેવ મંદિરે 15મા પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સાપર ગામે આવેલ ત્રિદેવ મંદિરે લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી, સિધેશ્વર મહાદેવજી, રામ, લખન, જાનકી, રાધા-કૃષ્ણજી, અંબેમા, મોમાઈ માતાજી અને રાજબાઈ માતાજીનો 15મો પાટોત્સવ ઉજવાયો હતો. 11 માર્ચના રોજ સવારે 8 કલાકેથી ગામના દરેક ઘરમાં ભગવાનની પધરામણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાનનું પૂજન, આરતી અને નગરયાત્રા યોજાઈ હતી. જેમાં સાપર ગામના સરપંચ રવિરાજસિંહ, ઘનુભા, ધિરુભા, અનુભા, દિલીપસિંહ, હરદેવસિંહ, રવિરાજસિંહ, જનકસિંહ, ઘનુભા તથા બહેનોએ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી હતી.

- text

- text