પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારે ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાશે

- text


મોરબી: મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારે સાંજે ગ્રીનચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.

મહત્વનું છે કે, ઉનાળો શરૂ થતાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમીમાં પક્ષીઓને ખાસ કરીને ચકલીને ગરમીથી રાહત મળે તે માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે 12 માર્ચ ને રવિવારે સાંજે 5 વાગ્યે મોરબીના પોલીસ સ્ટેશન સામેના ગ્રીન ચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સેવાનો લાભ લેવા સૌને અપીલ કરાઈ છે.

- text

 

- text