- text
ટંકારા : ટંકારા તાલુકાના આંબેડકરનગર (વીરવાવ) ખાતે આવેલા અમરધામ આશ્રમ ખાતે આગામી તારીખ 23 માર્ચ ને ગુરુવારના રોજ નરસિંહ ભગતનો ભંડારો યોજાશે.
અમરધામ આશ્રમના સંત શ્યામ બાપુના શિષ્ય એવા સંત નરસિંહ ભગતે ગત તારીખ 19 જાન્યુઆરીના રોજ સમાધિ લીધી હતી. ત્યારે તેઓનો ભંડારો આગામી તારીખ 23 માર્ચ ને ગુરુવારે યોજાનાર છે. આ પ્રસંગે અમરધામ આશ્રમ ખાતે બપોરે 3 કલાકે સંતોના સામૈયા થશે, ત્યારબાદ 5 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને વિજય ચૌહાણ તથા સાથી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. તો આ ભંડારામાં ઉપસ્થિત રહેવા આંબેડકરનગર (વિરવાવ) ગામ સમસ્ત દ્વારા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.
- text
- text