- text
મોરબી : નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે, સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે તા. 12/3/2023 ને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન દરેક વસ્તુ રાહત ભાવે વેચાણ કરવામાં આવનાર છે.
જેમાં ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા, સ્ટ્રોબેરીના રોપા,દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ પાવડર, સિંધા નમક, કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ફુલ છોડના કુંડા, કાળા સફેદ તલનુ તેલ, શુધ્ધ સીંગ તેલ,મસાલા, ખાખરા, પાપડ, શુધ્ધ ચોખ્ખુ મધ મળશે.
- text
જેનો લાભ લેવા નવરંગ નેચરલ કલબ- પ્રમુખ વી. ડી. બાલા મો.નં. 9427563898, લવજીભાઈ પ્રજાપતિ મો.નં. 9925369465એ મોરબીવાસીઓને અપીલ કરી છે.
- text