વાંકાનેરના દલડી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશીયન કીટનું વિતરણ કરાયું

- text


 

વાંકાનેર: આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે ટી.બી. ના 10 જેટલા દર્દીઓને વિવિધ દાતાઓના સહયોગથી ન્યુટ્રીશિયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યમાં દાતાઓ તરીકે ડો. અજય ચાવડા, રૂપલબેન નિમાવત, કાલુભાઈ આંત્રેશા, વંદનાબેન સોલંકી, ડી.બી. ધોરીયા, નેહાબેન નંદાસીયા, ફિરોઝભાઇ ખોરજીયા દ્વારા આ કીટ આપવામાં આવી હતી.

- text

- text