મોરબીના મેઘાવી છાત્ર તરીકે બહુમાન પ્રાપ્ત કરતા ડો. ચિરાગ અઘારા

- text


 

મોરબી: ચિરાગ સર્જીકલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. બાબુલાલ અઘારાના પુત્ર ડો. ચિરાગ અઘારાએ મોરબીના મેઘાવી છાત્ર તરીકે બહુમાન પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મહત્વનું છે કે, ડો. ચિરાગ અઘારા યુરોલોજીસ્ટની પરીક્ષામાં સફળતા મેળવીને હાલ રાજસ્થાનના જોધપુર ખાતે એસ.એ. મેડિકલ કોલેજમાં યુરોલોજીસ્ટનો સ્પેશિયલ કોર્સ કરી રહ્યા છે. ત્યારે ડો. ચિરાગ અઘારાને સુરત ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા શિશુ મંદિર મોરબીના મેઘાવી છાત્ર તરીકે સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. હાલ ડો. ચિરાગ અઘારા અભ્યાસમાં વ્યસ્ત હોય તેઓનું સન્માન તેમના પિતા ડો. બાબુલાલ અઘારાએ સ્વીકાર્યું હતું અને મોરબીનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે આ સન્માન મળવા બદલ ડો. ચિરાગ અઘારાને ચો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text