ટંકારામાં આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


ટંકારા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર પ્રેરિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા ટંકારા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 5 માર્ચ ને રવિવારના રોજ સવારે 8-30 થી બપોરે 3 વાગ્યા સુધી ટંકારાની લોહાણા મહાજન સમાજ વાડી ખાતે આયુષ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ આયુષની આરોગ્ય પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાચનતંત્રના રોગો, શ્વસનતંત્રના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો, સાંધાના રોગો અને જીવનશૈલી જન્ય રોગોની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.

- text

- text