મોરબીના જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

- text


વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં પંચવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, જલારામ મંદિરના સેવાકાર્યના સહયોગીઓનો સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાયા હતા.

આ પ્રસંગે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેખાબેન સાગઠીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી ઉદ્યોગપતિ પંકજભાઈ કાલરીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ), લોહાણા સમાજ અગ્રણી પંકજભાઈ કોટક (નવસારી વાળા), કીશોરભાઈ ચંડીભમર, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, વાંકાનેર નગરપાલિકા પૂર્વ ચેરમેન રાજભાઈ સોમાણી, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટલ), બ્રહ્મ સમાજ અગ્રણી ડો. બી.કે. લેહરુ, જૈન સમાજ અગ્રણી જયેશભાઈ ટોલીયા, આર.કે.એમ. શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, ક્ષત્રિય સમાજ અગ્રણી કૃષ્ણસિંહજી જાડેજા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના પ્રમુખ હસુભાઈ પુજારા, સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભી, મોરભાઈ કંઝારીયા, લોહાણા સમાજ અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ(મંત્રી), લોહાણા સમાજ અગ્રણી દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા અગ્રણી ચંદ્રિકાબેન પલાણ, લેઉઆ પટેલ સમાજ અગ્રણી કે.પી.ભાગીયા, શહેર ભાજપ અગ્રણી ભરતભાઈ ડાંગર, રાજકીય અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, લોહાણા મહાજન મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, કંસારા સમાજ અગ્રણી જયેશભાઈ કંસારા, નિવૃત પોલીસ અધિકારી દલસાણીયા, PI સોલંકી, PSI ઠક્કર, પોલીસ અધિકારી ભાનુભાઈ બાલાસરા, ASI વનરાજસિંહ રાણા સહીતના અગ્રણીઓ ઉપરાંત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, કુદરતી-માનવસર્જીત આફત સમયની સેવા, વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, મેડિકલ સાધનોની સેવા જેવી વિવિધ પ્રકારની સેવાઓ કોઈપણ જાતના નાત-જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવામાં આવી રહી છે. ત્યારે આ મહામુલી માનવસેવામાં સવિશેષ યોગદાન અર્પણ કરનાર મહાનુભવોને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, લોહાણા મહાજન, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી ક્રાંતિ મંચ, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, અયોધ્યાપુરી ગરબી મંડળ, વસંત પ્લોટ મિત્ર મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

- text