- text
મોરબીઃ કેશવાનંદ બાપુના આશ્રમની બાજુમાં આવેલા પૌરાણિક 500 વર્ષથી પણ વધુ જુના ધોળેશ્વર મંદિરે હસુબાપુ અને સ્વયંસેવકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ મહાપ્રસાદનો લ્હાવો 2 હજારથી વધુ ભક્તોએ લીધો હતો.
સ્વયંભૂ શિવલિંગ શ્રી ધોળેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સ્વયં જયોત મા વાઘેશ્વરી, મા અંબા આમ ભગવાન શિવ અને શક્તિનો સંગમ છે તેવા અલૌકિક મંદિરના મહારાજ હસુબાપુ અને સ્વયંસેવકો દ્વારા આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ મહાપ્રસાદનો લ્હાવો આશરે 2 હજારથી વધુ લોકોએ લીધો હતો. સાથે જ મંદિરના મહારાજે મંદિરે દર્શનાર્થે પધારવા સૌને આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text