25 ફેબ્રુઆરીએ મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિરે ભજન સંધ્યા યોજાશે

- text


મોરબી : મોરબી મચ્છુ નદીના તટ પર ઝુલતા પુલની બાજુમાં નિર્માણાધિન સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના સંગીતયજ્ઞ સંતો દ્વારા સુગમ – શાસ્ત્રીય સંગીતની જુગલબંધી સાથે સંત કીર્તન આરાધના-ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 25 ફેબ્રુઆરી ને શનિવારના રોજ રાત્રે 8 થી 11 કલાક દરમિયાન સંત કીર્તન આરાધના કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સમગ્ર ઉત્સવ દરમિયાન પોતાના સુરીલા કંઠથી લાખો લોકોને મંત્ર મુગ્ધ કરનાર BAPS સંસ્થાના સંગીતજ્ઞ સંતો મોરબીના આંગણે પધારશે. તો આ કાર્યક્રમમાં પધારવા સાધુ હરિસ્મરણદાસજી અને સાધુ મંગલપ્રકાશદાસજીએ સૌને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text