- text
મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે મોંને ખોલવાની સારવાર અંગે ફ્રી નિદાન કેમ્પ યોજાશે.
આવતીકાલે 18 ફેબ્રુઆરી ને શનિવારના રોજ મોરબીના સરકીટ હાઉસ મેઈન રોડ પર શિવ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા ડો. મીતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સવારે 8-30 થી 12 અને સાંજે 4-30 થી 8 વાગ્યા સુધી યોજાનાર આ ફ્રી નિદાન કેમ્પમાં તમાકુ, ગુટખાને કારણે જકડાઈ ગયેલા મોંને ખોલવાની સારવાર કરવામાં આવશે.
- text
- text