હળવદના દેવીપુરથી કાલે શુક્રવારે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

- text


સાંસદો, ધારાસભ્યો સહિતના અનેક પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેશે

હળવદ : હળવદના દેવીપુર ગામેથી કાલે શુક્રવારે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાશે. આ વેળાએ સાંસદો, ધારાસભ્યો સહિતના અનેક પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેશે.

જળ સંચયનો વ્યાપ વધારવા સુજલામ સુફલામ અભિયાન હેઠળ વિવિધ કાર્યો હાથ ધરવામાં આવનાર છે. હળવદ તાલુકાના દેવીપુર ગામથી કાલે શુક્રવારે સવારે 9:30 કલાકે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. આ વેળાએ તા.પં. પ્રમુખ બકુબેન પઢીયાર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ ચંદુભાઈ શિહોરા, વિનોદભાઈ ચાવડા, મોહનભાઇ કુંડારીયા, કાંતિલાલ અમૃતિયા, પૂનમબેન માડમ, જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા અને રમેશભાઈ પારજીયા સહિતના ઉપસ્થિત રહેશે.

- text

- text