17મીએ ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક

- text


ઉર્ષ મુબારક પ્રસંગે કવ્વાલીનું પણ આયોજન

ટંકારા : ટંકારા ખાતે આગામી તા.17ને શુક્રવારે ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક યોજાશે. ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર રોડ, અમરાપર રોડ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ઉર્ષ મુબારક પ્રસંગે હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ શુક્રવારે સવારે ફઝરની નમાઝ બાદ અને નમાઝે મગરીબ પછી ન્યાઝ શરીફ યોજાશે. અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે 10 કલાકે ચાંદ અફઝલ કાદરી દ્વારા કવ્વાલી રજૂ કરાશે. વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહબીબમિયા જીલાનીમિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા)ના મો. નંબર 81288 78692 પર સંપર્ક કરી શકાશે. સમગ્ર આયોજનનો હિંદુ અને મુસ્લિમ સમાજે લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

- text

- text