14મી ફેબ્રુઆરીએ હળવદ ખાતે ઓૈધોગિક ભરતી મેળો યોજાશે 

- text


મોરબી : રોજગાર અને તાલીમના નિયંત્રણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી 14ના રોજ સવારે 11 કલાકે ગ્રાન્ટ ઇન એઇડ, આઈટીઆઈ, સરા રોડ, હળવદ ખાતે ઔધોગીક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ઔધોગીક ભરતી મેળા મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએચસી,આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18થી35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગીક ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text