વાંકાનેરમાં કરિયાણાના વેપારીનું જીવવું હરામ કરનાર બે વ્યાજખોર ઝબ્બે 

- text


રૂપિયા 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને મફતમા ચીજવસ્તુ પડાવતા હતા 

વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે વ્યાજખોરો પાસેથી 17.50 લાખ મેળવી બદલામાં 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી મફતમાં ચીજવસ્તુઓ પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધી બન્નેની તાત્કાલિક ધરપકડ કરી વ્યાજખોરીનું ભૂત ઉતારી દીધું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ઉતમભાઇ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા, રહે. જલારામ જીન પાસે, ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા પાસેથી 5 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભી, રહે. ધમલપર વાળા પાસેથી રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા.બાદમાં ઉત્તમભાઈએ આરોપી વ્યાજખોર ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડાને 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને 28.80 લાખ ચૂકવી દેવા છતાં પણ બન્ને આરોપીઓ વધુ પૈસા કઢાવવા ધાકધમકી આપી દુકાને આવી મફતમાં ચીજ વસ્તુ પડાવી જઈ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે ઉતમભાઈએ વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ 384, 506 તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42(એ), 42(ડી) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

- text

બીજી તરફ વાંકાનેર સીટી પીઆઇ કે.એમ.છાસિયા, પીએસઆઈ એન.એમ.ગઢવી, એ.એસ.આઈ. ભપતસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર તેમજ રવિભાઈ લાવડીયા સહિતના સ્ટાફે રાજ્ય સરકારના આદેશ અન્વયે વ્યાજખોર ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીની તાત્કાલિક ધરપકડ કરી બન્ને વ્યાજખોરોને કાયદાનું ભાન કરાવી વ્યાજખોરીનું ભૂત ઉતાર્યું હોવાનું જાણવા મળે છે.

- text