મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન હડફેટે અજાણ્યા પુરુષનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર રોડ ઉપર મિલેનિયમ ટાઇલ્સ કારખાના પાસે ગત તા.3ના રોજ રાત્રીના સમયે રેલવેના પાટા ઉપર આવી રહેલી ધસમસતી ટ્રેન હેઠળ અજાણ્યા પુરુષનું કપાય જવાથી મોત નીપજ્યું હતું. જો કે પોલીસે આ બનાવનું કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. હજુ મૃતકની ઓળખ મળી ન હોય જે કોઈને ઓળખ મળે તેમને મોરબી તાલુકા પોલીસ મથકના 02822242592 નંબર પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text