મોરબીમાં સ્વ. દિવ્યેશકુમાર બરાસરાની પુણ્યતિથિ નિમિત્તે કાલે સોમવારે રક્તદાન કેમ્પ

- text


મોરબી : સ્વ. દિવ્યેશકુમાર અવચરભાઈ બરાસરાની 25મી પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 30 જાન્યુઆરી ને સોમવારના રોજ મોરબી ખાતે મહા રક્તદાન કેમ્પું આયોજન કરાયું છે. મોરબીની સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે. તો આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈને રક્તદાન કરવા માટે સૌને અપીલ કરવામાં આવી છે.

લાયન્સ ક્લબ, યંગ ઈન્ડિયા ગ્રુપ, મોરબી અપડેટ, કોમનમેન ફાઉન્ડેશન અને બગથળા સોશિયલ ગ્રુપના સૌજન્યથી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વર્ગસ્થ દિવ્યેશકુમાર બરાસરાની પુણ્યતિથિએ સવારે 8-15 થી 11-30 આ મહા રક્તદાન કેમ્પ યોજાનાર છે. તો સૌ ભાઈઓ-બહેનોને આ કેમ્પમાં પધારી રક્તદાન કરવા અપીલ કરાઈ છે.

- text

- text