- text
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલા રોયલ પાર્ક ખાતે આગામી તારીખ 29 જાન્યુઆરીના રોજ તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ ભજવવામાં આવશે.
મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક ખાતે વાલજીભાઈ કાંજીયા અને હરેશભાઈ વાલજીભાઈ કાંજીયાના નિવાસ સ્થાને આગામી તા. 29 જાન્યુઆરી ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં ગાયક કલાકાર મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડિયો) અને ભુટો ભરવાડ નકલંક સાઉન્ડના સથવારે રમઝટ બોલાવશે.
- text
- text