પુણ્ય ! મોરબી પાલિકાના નંદી ઘરમાં નંદીઓને શાકભાજી ખવડાવાયા

- text


મોરબી : ગઈકાલે સોમવતી અમાસના પાવન દિવસે મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં તમામ નંદીઓને દાતા રસીલાબેન લક્ષ્મણભાઈ ઝાલરીયા દ્વારા શાકભાજી ખવડાવવામાં આવ્યા હતા.

મોરબી નગરપાલિકા સંચાલિત પંચાસર રોડ પર આવેલા નંદી ઘરમાં શિવજીનું વાહન એવા આશરે 800 નંદીઓનું પાલનપોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાતા રસીલાબેન લક્ષ્મણભાઈ ઝાલરીયા હસ્તે એલ.ડી. ઝાલરીયા દ્વારા ગઈકાલે તારીખ 21 જાન્યુઆરી ને શનિવારે સોમવતી અમાસના પાવન દિવસે 800 નંદીઓને શાકભાજી ખવડાવવામાં આવ્યું હતું. આ અદભુત સેવા બદલ નંદીઘરના સંચાલકો દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text