હળવદના અજિતગઢ ગામે દિવંગત દંપતીની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

- text


હળવદ : હળવદના અજિતગઢ ગામે દિવંગત દંપતીની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સ્વ.રાહુલભાઈ પ્રવીણભાઈ આહીર અને તેમના ધર્મપત્ની સ્વ મીતલબેન રાહુલભાઈ આહીરની તાજેતરમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અજિતગઢના શિવ મંદિરમાં યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં સગા સબંધીઓ સહિતના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરીને સદગત દંપતીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલું 100 બોટલ રક્ત સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજની બ્લડ બૅંકમાં જમા કરીને ત્યાં જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લેવાશે.

- text

- text