ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદાચાર્યજીની જન્મજયંતિ ઉજવાઈ

- text


ટંકારા: ગઈકાલે તારીખ 14 પોષ વદ સાતમના દિવસે ટંકારા ખાતે ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદાચાર્ય મહારાજની 723મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ રામાનંદાચાર્યની જન્મજયંતિ નિમિત્તે સાધુ સમાજ એકત્ર થયો હતો.

કાર્યક્રમની શરૂઆત કથાકાર રસિકભાઈ રામાયણીએ આગવી શૈલીમાં કરી હતી. ત્યારબાદ મોજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શિલ્ડ સ્વ. વિશાલભાઈ અનીરુદ્ધભાઈ અગ્રાવત તરફથી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે આર. સાહેબ અને મંત્રી પદે નરેન્દ્રભાઈ કુબાવતની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ જ્ઞાતિજનોએ સમૂહ ભોજન કર્યું હતું અને જય સીયારામના નાદથી રામદેવ પીર મંદિર ગુંજી ઉઠ્યું હતું. આ મહાપ્રસાદના દાતા પ્રમુખ આર.સાહેબ હતા.

- text

- text