મોરબીમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા પતિએ ગળેફાંસો ખાધો

- text


મોરબી : મોરબીના મારુતિપાર્કમા રહેતા દંપતિ વચ્ચે ગત તા.4 જાન્યુઆરીના રોજ કોઈ બાબતે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના મારુતિપાર્ક વિસ્તારમાં રહેતા આકાશભાઈ હસમુખભાઈ આંજણકા ઉ.28 નામના યુવાન અને તેમના પત્ની વચ્ચે ગત તા.4ના રોજ કોઈ કારણોસર ઝઘડો થયા બાદ આકાશભાઈએ પોતાના ઘેર ખંખા સાથે સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text