તા.11એ મોરબીમાં બજરંગદાસ બાપાની 46 પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ સંત શિરોમણી બજરંગદાસ બાપાની 46મી પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે.

રામાનંદી સાધુ બજરંગદાસ બાપા ગ્રુપ મોરબી દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરી ને બુધવારે બપોરે 1:30 કલાકે નટરાજ ફાટક સ્થિત બજરંગદાસ બાપાની મઢુલીથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને નહેરુગેઈટ-શનાલા રોડ થઈ ઉમિયા સર્કલ પાસે સપ્તેશ્વરના મંદિરે શોભાયાત્રાનું સમાપન થશે. તો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામાનંદી જ્ઞાતિ બંધુ માટે સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

- text

- text