મહેન્દ્રનગરમાં કાલે શુક્રવારથી વચ્છરાજ મહાપુરાણ ગૌ કથાનો પ્રારંભ

- text


 

મોરબી: સમસ્ત મહેન્દ્રનગર મોરબી દ્વારા નિરાધાર ગાયોના નીરણના લાભાર્થે તેમજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મૃત્યુ પામેલાઓના આત્માને શાંતિ અર્થે વચ્છરાજ મહાપુરાણ ગૌ કથાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.

મોરબીના મહેન્દ્રનગરના ખરાવાડ, બસ સ્ટેન્ડની બાજુમાં, પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ તારીખ 6 જાન્યુઆરી ને શુક્રવારથી 14 જાન્યુઆરી ને શનિવાર સુધી વચ્છરાજ મહાપુરાણ ગૌ કથા યોજાશે. જેમાં દરરોજ બપોરે 2-30 થી 5-30 સુધી કથાકાર ગૌ સેવક હશુભગત (ૐ વચ્છરાજ ગૌશાળા કોઠારીયાવાળા) કથાનું રસપાન કરાવશે. સાથે જ મોરબી જિલ્લામાં સીટી ગુજરાતી ચેનલ નંબર 72 પર કથાનું ઘરે બેઠા લાઈવ પ્રસારણ નિહાળી શકાશે.

- text

- text