બગથળાના શ્રી હરિ નકલંક વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનો ગુરુ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: મોરબીના બગથળાની શ્રી હરિ નકલંક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના તથા સ્નેહમિલન કાર્યક્રમ તારીખ 18 ડિસેમ્બરે સાંજે 4 વાગે પટેલ સમાજ વાડી, બગથળા મુકામે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં શાળાના SSC બેચ 2006ના વિધાર્થીઓ અને ગુરુજનો તથા શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. શાળાના ગુરુજનો તથા કર્મચારીઓમાં બોપલીયા રમેશભાઈ, રાંકજા વેલજીભાઈ, ઠોરિયા સવજીભાઈ, શેરસિયા સુનિતાબેન, વાધરિયા કલ્યાણજીભાઈ, અઘારા નટુભાઈ, ભાટિયા ગણેશભાઈ, કામરીયા અશોકભાઈ, ઝાલરીયા પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થઈ હતી. વિધાર્થીઓએ શબ્દો અને પુષ્પગુચ્છથી ગુરુજનો અને શાળાના કર્મચારીઓનું સ્વાગત કર્યુ હતું. વિદ્યાર્થીઓએ ગુરુજનોનું પૂજન કર્યું હતું. બાદમાં વિધાર્થીઓએ શાળા સમયની યાદો વર્ણવી હતી. ગુરુજનોએ પણ તે સમયની યાદો તાજી કરીને વિધાર્થીઓ ભવિષ્યમાં પ્રગતિ કરતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે કિડ્સ ડાન્સ, કિડ્સ ગેમ્સ,કપલ ગેમ્સ રમીને વિધાર્થીઓ અને બાળકોએ મજા માણી હતી. કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના SSC બેચ 2006ના વિધાર્થીઓ ઉમેશ ઠોરિયા (પ્રોફેસર, દર્શન યુનિવર્સિટી, રાજકોટ), કાનજી સાદરિયા અને અન્ય વિધાર્થીઓએ પૂરી જહેમત ઉઠાવી હતી.

- text

- text