- text
નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા નવનિયુક્ત ધારાસભ્યોની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવશે
મોરબી : મોરબી, વાંકાનેર, ટંકારા અને હળવદમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવતા મોરબીના નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા નવનિયુક્ત ધારાસભ્યોની હાજરીમાં માટેલના સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના ધ્વજારોહણ કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી નવા ડેલા રોડ મિત્રમંડળ દ્વારા આગામી તા.18ને રવિવારના રોજ મોરબી માળીયા બેઠક ઉપર વિજેતા બનેલા કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર બેઠક ઉપર વિજેતા બનેલા જીતુભાઇ સોમાણી, ટંકારા બેઠકના દુર્લભજીભાઈ દેથરીયા અને હળવદ બેઠક ઉપર વિજેતા બનેલા પ્રકાશભાઈ વરમોરાની હાજરીમાં માટેલ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે નૂતન ધ્વજારોહણ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text