હળવદના સુંદરગઢ પાસે હાઇવે પર જતાં અનેક વાહનો ઉપર પાણાવાળી

- text


 

સીએમની શપથવિધિના કાર્યક્રમમાંથી પરત આવતા ભાજપના આગેવાનોની કાર ઉપર પણ પથ્થર ફેંકાયા

હળવદ : હળવદના સુંદરગઢ પાસે હાઇવે પર જતાં અનેક વાહનો ઉપર પાણાવાળી થઈ હોવાના અહેવાલ મળ્યા છે. જેમા ભાજપની શપથવિધિના કાર્યક્રમમાંથી પરત આવતા ભાજપના આગેવાનોની કાર ઉપર પણ પથ્થર ફેંકાયા છે.

મોરબી ભાજપ આગેવાન હસુભાઈ સોરીયા અને ચિરાગ કણઝારીયા આજે ગાંધીનગર ખાતે સીએમની શપથવિધિના કાર્યક્રમમાં ગયા હતા. કાર્યક્રમમાં હાજરી આપી તેઓ પોતાની કારમાં પરત આવતા હોય ત્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક તેની કાર પર ત્રણથી ચાર ઇસમોએ પથ્થરમારો કર્યો હતો જે પથ્થરમારાની ઘટનામાં સદનસીબે બંને આગેવાનોને કોઈ ઈજા પહોંચી નથી બંને સુરક્ષિત છે. તેઓના જણાવ્યા મુજબ અન્ય બે વાહનો ઉપર પણ પથ્થરમારો થયો હતો.

- text

બાદમાં ત્યાંથી આગળ પેટ્રોલ પમ્પએ આ તમામ વાહન ચાલકો એકત્ર થઈ જતા બધા પથ્થર ફેકનારા તરફ ગયા હતા. પણ ત્યાં સુધીમાં તો તેઓ નાસી ગયા હતા.

- text