વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી દ્વારા ભાગવત સપ્તાહ અને સમૂહ લગ્ન યોજાશે

- text


મોરબી: વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ સમૂહ લગ્ન સમિતિ સમસ્ત લુહાર સમાજ મોરબી દ્વારા ભવ્યાતિભવ્ય 51 પોથીજી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને લુહાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

આગામી મહિને તારીખ 11 જાન્યુઆરી ને બુધવારના રોજ કથાનો પ્રારંભ થશે. પ્રસિદ્ધ કથા પ્રવક્તા મોરબીના શાસ્ત્રી નિખીલભાઈ જોશી દરરોજ બપોરે 2 થી 7 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથાની પૂર્ણાહુતિ 17 જાન્યુઆરી ને મંગળવારના રોજ થશે. 17 જાન્યુઆરીએ સમૂહ લગ્ન પણ યોજાશે.

- text

- text