વાંકાનેરના મિટ્ટી કુલ ફેઈમ મનસુખભાઈ પ્રજાપતિને જમનાલાલ બજાજ પુરસ્કાર એનાયત 

- text


વાંકાનેર: વાંકાનેરના રહેવાસી એવા મિટ્ટી કુલ ફેઈમ મનસુખભાઈ પ્રજાપતિએ વાંકાનેર અને મોરબી જિલ્લાને ફરી એક વખત રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. હાલમાં જ મનસુખભાઈ પ્રજાપતિને જમનાલાલ બજાજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ગઈકાલે તારીખ 8 ડિસેમ્બરના રોજ જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા ગાંધીવાદી યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઈ પ્રજાપતિને જમનાલાલ બજાજ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિ માટી કુલમાંથી વિવિધ 250થી વધુ પ્રોડક્ટનું સંશોધન કરી ભારતના જાણીતા ઇનોવેટર બની ગયા છે.

- text

- text