મોરબી જલારામ મંદિર ખાતે રાહતદરે અડદીયા,બદામપાક, ગુંદરપાક વિતરણ

- text


મોરબી : શિયાળો શરૂ થતા ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ શરૂ કરવા મા આવેલ છે.

મોરબીની સેવાભાવી સંસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અડદીયા, બદામપાક, ગુંદરપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે. દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ.૩૫૦, બદામપાક પ્રતિ ૫૦૦ ગ્રામ રૂ. ૨૫૦, ગુંદરપાક પ્રતિ ૫૦૦ ગ્રામ રૂ.૨૦૦ ના ભાવે વિતરણ કરવામા આવી રહ્યુ છે. શુધ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર વાનગી મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવા સંસ્થાના નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text

- text