- text
મોરબી : ભારત રત્ન અને બંધરણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના ૬૬મા મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે તા.૬ને મંગળવારે સાંજે ૫:૩૦ કલાકે નહેરુગેટના ચોકથી બાબા સાહેબની પ્રતિમા મોરબી નગરપાલિકા સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવશે. જેમાં ડો. બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકોને જોડાવવાની અપીલ કરવામાં આવી છે.
- text
- text