- text
મોરબીઃ મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીના અજયભાઈ લોરીયા દ્વારા ગૌશાળાને અનુદાન આપવામાં આવ્યું છે.
મોરબીના સમાજ સેવક અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા મોરબીની યદુનંદન ગૌશાળામાં 51 હજાર રૂપિયાનું અનુદાન આપીને ઝૂલતા પુલના 135 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
- text
- text