મોરબીમાં નર્મદા કેનાલમાં તણાયેલા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ફ્લોરા હાઉસ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન ત્રણ દિવસ પૂર્વે નર્મદા કેનાલમાં ન્હાવા પડયા બાદ ગઈકાલે આ શ્રમિક યુવાનની લાસ મળી આવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ફ્લોરા સીરામીક નજીક આવેલ હિલશેરા સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન અભિષેક દીનેશચંદ્ર ગુર્જર ગત તા.21ના રોજ નર્મદા કેનાલમાં ન્હાવા પડયા બાદ પાણીમાં તણાઈ જતા વ્યાપક શોધખોળ બાદ આ યુવાનનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text