હળવદમાં વિહિપ, બજરંગ દળ પાટિયા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, 121 બોટલ બ્લડ એકત્ર 

- text


હળવદ : હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પાટિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હુતાત્મા દિન નિમિતે રક્તદાન શિબિરનું આયોજન શહેર મધ્યે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર (બ્રાહ્મણ )ની ભોજનશાળા) ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં હળવદ તાલુકાની જનતા એ ઉત્સાહ પુર્વક સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.

આ રક્તદાન શિબિરમાં 121 બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી. એકત્રિત થયેલ બ્લડની બોટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગરીબ અને લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતો એ દીપ પ્રાગટ્ય કરી અને અયોધ્યા શ્રી રામ મંદિર માટે વીરગતિ પામનાર હુતત્માઓને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં હળવદના વિવિધ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બજરંગદળના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text