હળવદના સાપકડા ગામે દીપડાનો આંતક : 53 ઘેટાના મોત

- text


નાનુભાઈ ભોજાભાઈ ભરવાડના પશુ વાડામા ગત રાત્રીના દીપડાએ હુમલો કરતા ઘેટાઓના ફફડીને મોત : વનવિભાગ દોડ્યો

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે ગતરાત્રીના દીપડાએ માલધારીના પશુ વાડામાં હુમલો કરી આંતક મચાવતા 53 ઘેટાના ફફડીને મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જ હળવદ વનવિભાગ અને પશુ ડોક્ટરની ટીમ સાપકડા ગામે દોડી ગઈ છે.

દીપડાના આંતક અંગે સાપકડા ગામના સરપંચ નટુભાઈ કણઝરીયાએ જણાવ્યું હતું કે, ગત રાત્રીના નાનુભાઈ ભોજાભાઈ ભરવાડ નામના માલધારીના પશુવાડામા દીપડાએ હુમલો કર્યો હતો અને દીપડાના હુમલાથી ફફડીને 53 ઘેટાના મોત નિપજ્યા હતા જયારે અન્ય આઠ ઘેટાં ઈજાગ્રસ્ત બન્યા હતા.

સવારે ઘટનાની જાણ થતા જ હળવદ વન વિભાગ અને પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હોવાનું જણાવી ગામના સરપંચ નટુભાઈ કણઝરીયા એ આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હોવાનું જણાવ્યું હતું. દીપડાના હુમલાથી એક સાથે 53 ઘેટાના મોત થતા હાલ માલધારી નાનુભાઈ ભોજાભાઈ ભરવાડ ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

- text