વડાપ્રધાન મોદી ઘટના સ્થળ, સિવિલની મુલાકાત લઈ સમીક્ષા બેઠક પૂર્ણ કરી રવાના

- text


મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ઘટના સ્થળ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા બાદમાં એસપી કચેરી ખાતે પહોંચી અહીં સમિક્ષા બેઠક કરી તમામ વિગતો મેળવી હતી અને બાદમાં પરશુરામ હેલિપેડ ખાતે પોહચી હેલિકોપ્ટર માં રવાના થઈ ગયા હતા.

વડાપ્રધાન મોદી મોરબી પહોંચી પ્રથમ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલે ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્તોને મળીને તેઓ એસપી કચેરી પહોંચી અહીં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તેઓ સમીક્ષા બેઠક યોજી હતી. અને બાદમાં રવાના થઈ ગયા હતા.

- text

- text