મોરબીમાં વડાપ્રધાનના આગમન પૂર્વે આપ – કોંગ્રેસના આગેવાનો નજરકેદ

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે પોલીસે સતર્કતાના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક આગેવાનોને નજર કેદ કરી લીધા હતા.

- text

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે આજે વડાપ્રધાન મોદી મોરબી આવી રહ્યા હોય ખાસ કરીને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનો કોઈ વિરોધ પ્રદર્શન કે આશ્ચર્ય જનક કાર્યક્રમ ન આપે તે માટે તકેદારીના ભાગ રૂપે પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકરોને નજર કેદ કરી લીધા હતા.

- text