મોરબી દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે સ્મશાનમાં 21 આહુતિ અપાઈ

- text


મોરબી : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અનેક લોકોના આત્માની શાંતિ માટે લોકો ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે મોરબીના સામાકાંઠે સ્મશાન ખાતે સ્મશાન યજ્ઞ સમિતિ દ્વારા છેલ્લા સાત વર્ષથી સ્મશાનમાં અગ્નિદાહ બાદ તમામ દિવગતોના આત્માની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પુલ દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે સ્મશાનમાં યજ્ઞ કરીને 21 આહુતિ આપવામાં આવી હતી અને પુલ તૂટવાની હોનારતના દિવગતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં હતી.

- text

- text