આપની “બસ હવે તો પરિવર્તન” યાત્રા દરમિયાન ચરાડવામાં જંગી જાહેરસભા યોજાઇ

- text


ચરાડવામાં ઈશુદાન ગઢવીની ગર્જના.. કૌભાંડ્યો અને વેચાણીયો માલ પ્રજા હવે નહીં સ્વીકારે

હળવદ : આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા થી કાઢવામાં આવેલી “બસ હવે તો પરિવર્તન” યાત્રા શનિવારે મોડી સાંજે ચરાડવા પહોંચી હતી અને જાહેર સભા યોજાઇ હતી જેમાં ઈશુદાન ગઢવી સહિત આપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે અનેક કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી બસ હવે તો પરિવર્તન યાત્રા શનિવારે મોડી સાંજે ચરાડવા ગામે આવી પહોંચતા જાહેર સભા યોજાઈ હતી જેમાં હાજર રહેલ ઈશુદાન ભાઈ ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

આતકે મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા, હળવદ ધાંગધ્રા વિધાનસભાના સંગઠન મંત્રી હિતેશભાઈ વરમોરા, મહામંત્રી વિપુલભાઈ રબારી,યુવા આગેવાન ચંદુભાઈ મોરી,એચ.કે પટેલ, ગુલઝારભાઈ વડાલીયા સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

- text