સરદાર પટેલની પ્રતિમા અનાવરણ અને રેલીમાં કાલે રવિવારે મંત્રી બ્રિજેશ મેરજા આપશે હાજરી

- text


નાલા-પુલીયાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે : સોમવારે એકતા દોડમાં ઉપસ્થિત રહેશે

મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજા તા.૩૦મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ ગાળા ગામે સવારે ૦૯:૦૦ કલાકે નાલા-પુલીયાની કામગીરીનું ખાર્તમુર્હૂત તથા ૧૧:૦૦ કલાકે મન કી બાત (ભાજપા કાર્યાલય-મોરબી) અને સાંજે ૦૪:૦૦ કલાકે સરદાર પટેલની પ્રતિમા અનાવરણ તેમજ રાષ્ટ્ર ભાવના રેલી મોરબીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકે મોરબી ખાતે એકતા દોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

- text

- text