વાંકાનેરમાં પીએમ મોદીની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાનકાર્ડનું વિતરણ

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલ અમરસિહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને વહીવટી તંત્ર વાંકાનેર દ્રારા યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહેલ હતા. ઉપસ્થીત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડનું વીતરણ કરવામાં આવેલ.વાંકાનેર તાલુકામાં ૮૪૨૩ જેટલા લાભાર્થીઓના કાર્ડ વીતરણ કરવામાં આવેલ જે લાભાર્થી હાજર રહી શકેલ નથી તેમને જેતે ગામના વી.સી.ઇ. અને આશા વર્કર મારફત ઘરે કાર્ડ પહોચાડી દેવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવામાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. એમ. એ. શેરસીયા. તેમજ તાલુકાના મેડીકલ ઓફીસરો .સુપરવાઇઝરશ્રીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text