અગાસીએ નિરણ લેવા જતા યુવાને વીજશોક લાગ્યો, મોત

- text


વાંકાનેર તાલુકાના હસનપર ગામની ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે અગાસી ઉપર રાખેલી નિરણ લેવા જતા વીજ તારને અડકી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા કિશનભાઈ માલાભાઈ બાંભવા નામનો યુવાન પોતાના ઘેર અગાસી ઉપર રાખેલી સૂકી નિરણ લેવા જતા વીજ તારને અડકી જતા વીજશોક લાગવાથી કિશનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text