હળવદ, વઢવાણ અથવા ટંકારા બેઠક ઉપર સેવાભાવી ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાનું ચર્ચાતું નામ

- text


પ્રદેશ ભાજપ ઉદ્યોગ સેલમાં કન્વીનર તરીકે જવાબદારી સંભાળતા પ્રકાશ વરમોરાને પાર્ટી હળવદ – ધ્રાંગધ્રા, વઢવાણ -સુરેન્દ્રનગર અથવા ટંકારા પડધરી બેઠક ઉપર મેદાનમાં ઉતારે તેવી પ્રબળ શક્યતા

મોરબી : વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે અત્યારથી જ ચૂંટણી લડવા લોબિંગ શરૂ થયું છે. સીટિંગ ધારાસભ્ય લઈ મંત્રી મહોદય, કાર્યકર્તાઓ અને સંગઠનમાં જવાબદારી સંભાળતા અગ્રણીઓ એડીચોટીનુ જોર લગાવી પોતાને ટિકિટ મળે તે માટે પ્રયત્નશીલ બન્યા છે ત્યારે આ વખતે સતાધારી ભારતીય જનતા પાર્ટી 60 પ્લસ અને નો-રિપીટ થિયરી વચ્ચે નવા જ ચહેરાઓ મેદાનમાં ઉતારે તેવી શક્યતા વચ્ચે હળવદ -ધ્રાંગધ્રા, વઢવાણ -સુરેન્દ્રનગર અથવા ટંકારા પડધરી બેઠક ઉપરથી મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઇએના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરાને મેદાનમાં ઉતારે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 182 બેઠકો માટે ટકોરાબંધ ઉમેદવારો શોધવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત તેજ થઈ છે. પાર્ટી દ્વારા તમામ બેઠકો જીતવા નો-રિપીટ અને 60 વર્ષથી વધુ વયના ઉમેદવારોની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપવા પાર્ટીએ રણનીતિ બનાવી હોવાના સાફ-સાફ સંકેતો વચ્ચે આ વખતે સ્વચ્છ પ્રતિભાની સાથે સુશિક્ષિત અને સર્વમાન્ય ચહેરાને તક આપવાની નીતિ અન્વયે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઈએ એટલે કે 218 જેટલી જીઆઇડીસી સહિતના 2.5 લાખ ઉદ્યોગ સમૂહનું પ્રતિનિધત્વ કરતા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રેસિડેન્ટ, સરદારધામના ઉપ પ્રમુખ તેમજ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને વઢવાણ ઇન્ડ એસોશિએશન સહીત અનેક સંસ્થામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા પ્રકાશ વરમોરાનું નામ અત્યારથી જ ચર્ચામાં છે.

અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઇએ પ્રેસિડેન્ટ ઉપરાંત પ્રદેશ ભાજપમાં ઉદ્યોગ સેલના કન્વીનર તરીકેની જવાબદારી સંભાળતા પ્રકાશ વરમોરાને પાર્ટી દ્વારા હળવદ – ધ્રાંગધ્રા, વઢવાણ -સુરેન્દ્રનગર અથવા ટંકારા – પડધરી બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવા સમીકરણો અત્યારથી જોવા મળી રહ્યા છે. હળવદ – ધ્રાંગધ્રા અથવા તો વઢવાણ -સુરેન્દ્રનગર અથવા ટંકારા પડધરી બેઠક માટે ચર્ચાતા નામ અંગે મોરબી અપડેટ દ્વારા પ્રકાશ વરમોરા સાથે વાતચીત કરતા તેઓએ ઉમેર્યું હતું કે, હાલ તેઓ સંગઠનમાં તેમને સોંપવામાં આવેલ જવાબદારી વહન કરી રહ્યા છે અને જો પાર્ટી આદેશ કરશે તો ત્રણ માંથી કોઈપણ બેઠક ઉપર ચૂંટણી લડવા તત્પર હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

આજના સમયમાં પક્ષાપક્ષીના રાજકારણ વચ્ચે સમાજના ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવે તેવા યુવા અને શિક્ષિત અને સમજદાર ચહેરાઓની ગેરહાજરી જોવા મળી રહી છે ત્યારે આર્થિક, સામાજિક આધ્યાત્મિક રીતે સંપન્ન પ્રકાશ વરમોરા જેવા ઉમેદવારને જો અલ્પ વિકસિત એવા હળવદ – ધ્રાંગધ્રા, વઢવાણ -સુરેન્દ્રનગર કે ટંકારા પડધરી બેઠક વિસ્તારમાં મેદાનમાં ઉતારવામાં આવે તો આ વિસ્તારની કાયાપલટ થઈ શકે તેમ હોવાનું ટોચની નેતાગીરી અને પક્ષની થિન્ક ટેન્ક પણ માની રહી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ ત્રણેય બેઠકો માટે ટકોરાબંધ ઉમેદવારની જરૂરત હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિક મંડળથી લઈ રાષ્ટ્રીયકક્ષાએથી સર્વસ્વીકૃત નામનો વિકલ્પ મળતા મતદારોમાં પણ સક્ષમ નેતાને પોતાના પ્રતિનિધિ બનાવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રકાશભાઈ વરમોરાએ છેલ્લા પાંચ વર્ષથી પોતાના ધંધામાંથી નિવૃત્તિ લઈને પૂર્ણ કાલીન જીવન જન સેવા માટે સમર્પિત કર્યું છે. મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં રહેણાંક ધરાવતા પ્રકાશ વરમોરા રાજ્યના અગ્રણી ઉધોગપતિ અગ્રણી ધાર્મિક સંસ્થા, અગ્રણી સામાજિક સંસ્થામાં મોટા પાયે દાન અને સેવા આપી ને એક અલગ જ નામના મેળવી છે.રાજ્યના અગ્રણી અધિકારીઓ સાથે એમની આત્મીયતા છે. વિશ્વનો પ્રવાસ કરી વાંચન, ચિત્તન અને મનન દ્વારા દીર્ઘદ્રષ્ટિ કેળવેલ છે.વડાપ્રધાન મોદીના વિઝનને ચરિતાર્થ કરવાની સંપૂર્ણ. ક્ષમતા ધરાવે છે. જેથી આવા ઘડાયેલા ભાવનાશીલ યુવા કાર્યકર્તાને તક મળે તેવું કાર્યકર્તા સામાજિક અને ઔધોગિક આગેવાન અને મતદારોની માગણી પણ ઉઠવા પામેલ છે. પ્રકાશભાઈ વરમોરાના ફેસબુક અને યૂટ્યૂબ ઉપરના વીડિયો ઉપર એમના વિચાર અને કાર્યક્ષમતાની અનુભૂતિ કરતું વ્યક્તિત્વ જોવા મળે છે ત્યારે જો પ્રકાશભાઈ વરમોરા જેવા પ્રજાસમર્પિત ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો એકાદ બે બેઠક જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતને પણ એક સમર્પિત યુવા ચહેરો મળી શકે તેમ હોવાનું સ્પષ્ટ છે.

- text